- જાગ્રત
- સ્વપ્ન
- સુષુપ્તિ
- તુરીય
- જાગ્રત મન
- અજાગ્રત મન
- બીટા જાગ્રત : 14 થી 35
- આલ્ફા તંદ્રા : 7 થી 14
- થીટા નિંદ્રા : 4 થી 7
ભગવદ્ ગીતા હિન્દુઓનો ધર્મગ્રંથ છે તો પછી જે લોકો સંસાર છોડીને હિંદુઓ માટે સ્વેચ્છાએ બનેલા સાધુ , સંતો , કથાકારો ,બ્રાહ્મણો , પૂજારી , સંપ્રદાયના વડાઓ આ બધા હિન્દુઓ હોવા છતાં ભગવદ ગીતા નો પ્રચાર પ્રસાર કેમ નથી કરતા ?
ભગવાન માનવના હૃદયમાં અંશ રૂપે રહેલો છે માનવ માત્ર ની રચના એક સમાન છે જેથી હિન્દુ મુસ્લિમ ખ્રિસ્તી આ ઈશ્વરની ઉપાસના ના ભેદ ગીતામાં નથી .
અ 12 ભક્તિયોગ માં ભગવાનની બે રૂપે ઉપાસના થાય છે.
સગુણ સાકાર મૂર્તિ રૂપે (વિભૂતિ યોગ )અને નિર્ગુણ નિરાકાર રૂપે (વિશ્વરૂપ દર્શન) બંને ની ઉપાસના ની સમજણ અધ્યાય 12 માં આપી છે.
સગુણ સાકાર મૂર્તિરૂપે (અવતારવાદ) અને નિર્ગુણ નિરાકાર રૂપે (બ્રહ્મ પરમાત્મા ) બે ઉપાસના છે સગુણ સાકાર રૂપે ભગવાનની ઉપાસના સરળ છે પણ આંશિક છે જ્યારે નિર્ગુણ નિરાકારરૂપે અવ્યકત બ્રહ્મ ની ઉપાસના કઠણ છે પણ પૂર્ણ છે.
(વિનોબા )
અધ્યાય 2 સાખ્ય યોગ માં હું જીવ (ચેતન્ય) અને શરીર (જડ) બંને અલગ છે .જુના કપડા બદલવામાં આવે તેમ જીવ (આત્મા) શરીર બદલે છે શરીર બદલવાનું કારણ અધ્યાય 13 માં શરીર એ ક્ષેત્ર (ખેતર) છે અને જીવ ક્ષેત્રજ્ઞ (ખેડૂત) છે ખેડૂત ખેતરમાં વાવે તેની કાળજી કરે અને તેની લણણી કરે તેવી જ રીતે જીવે (આત્મા) શરીરનો ઉપયોગ કરવાનો છે.
ખેડૂત ખેતરમાં અનાજ વાવે તેવી રીતે ગીતાના આ વિચારો અંતઃકરણમાં એટલે મન બુદ્ધિ અને અહંકારમાં વાવવાના છે.
(અ .10 શ્લોક 9 10 11)
અંતઃકરણમાં રહેલો હું સાધકના અજ્ઞાન જનીત અંધકારને જ્ઞાનદીપક વડે નષ્ટ કરું છું
(અધ્યાય 13 શ્લોક 17 22)
હું જ્યોતિઓની પણ જ્યોતિ રૂપ અંધકાર (અજ્ઞાન) થી પર જાણવા યોગ્ય બોધ સ્વરૂપ અને જ્ઞાનથી પામી શકાય તે હું સૌના હૃદયમાં રહેલો છું.
(અધ્યાય 15 શ્લોક 15)
હું દરેક ના હૃદયમાં રહેલો છું મારાથી જ સાધકને સ્મૃતિ , જ્ઞાન ,અપોહન થાય છે બધા વેદો વડે જાણવા યોગ્ય વેદોનો રચનાર અને વેદોને જાણનાર હું જ છું.
(અધ્યાય 15 શ્લોક 11)
જેમણે પોતાનું અંતઃકરણ શુદ્ધ નથી કર્યું એવા અજ્ઞાનીજનો પ્રયત્ન કરે સાધના કરે તો પણ મને ઓળખી શકતા નથી (તેથી સાધના કરતાં મનની શુદ્ધિ મહત્વની અને પ્રથમ જરૂરિયાત છે)
(અધ્યાય 18 શ્લોક 61 )
બધા ને જ તેમના કરેલા કર્મો પ્રમાણે ભમાવતો (ચલાવતો) તેમના હૃદયમાં રહેલો છું.
પ્રત્યેક વ્યક્તિના હૃદયમાં ભગવાન અંશ રૂપે રહેલો છે તેનો ભગવાન સાથે સીધો સંબંધ છે ફક્ત તેણે પોતાના અંતઃકરણ મન બુદ્ધિ અને અહંકારની સાધના કરી શુદ્ધ કરવાના છે જે સાધના ભગવદ્ ગીતામાં બતાવી છે.
દરેક વ્યક્તિ ભગવાન સાથે સીધો જોડાઈ શકે છે સાધક જેમ જેમ અંતઃકરણને પવિત્ર કરતો જાય તેમ તેમ અંદરનો અવાજ સ્પષ્ટ થતો જાય છે આ ભગવદ્ ગીતાની સાધના વાલીયાએ બુદ્ધે મહાવીરે તેમજ હજારો ઋષિઓએ એકાંતમાં બેસીને કરી અંદરના પાસેથી માર્ગદર્શન મેળવ્યું તે ગીતાની વાત આજના ધર્મના ઠેકેદારો સાધુ સંતો કથાકારો બ્રાહ્મણો પુજારી કરવા જાય તો તેમનું મહત્વ ખતમ થઈ જાય.
વિશેષમાં ભગવાન વિશેનો ધર્મના ઠેકેદારોનો પોતાનો કોઈ અનુભવ કે દર્શન નથી વેદોના દરેક મંત્રના દ્રષ્ટા ઋષિ છે જેમણે સમાધિ અવસ્થામાં જે અનુભવ્યું તે તેમણે વેદોમાં લખ્યું છે.
તો ધર્મના ઠેકેદારો આજે કોઈ સંપ્રદાયના સ્થાપક ગુરુ સંત કે પુરાણોના દેવની કથા કરીને લોકોમાં અવતારવાદ ઊભો કરી સગુણ સાકાર ની ઉપાસના ને જે મૂર્તિપૂજા નું રૂપ આપ્યું છે તે સગુણ સાકાર ની ઉપાસના અધ્યાય 12 ના ઉપાસના સાથે સંમત છે ? ગીતાનો અભ્યાસ કરવા વિનંતી.
હું ભગવદ ગીતા નથી વાંચતો આના માટે જવાબદાર કોણ ?
ધર્મના ઠેકેદારો
કે
હું પોતે જવાબદાર છું.
ધ્યાનમાં બેસીને આનો જવાબ જો હિન્દુ હોઉં અને ભગવદ ગીતા માન્ય હોય તો હૃદયમાં રહેલા અંશરૂપને જવાબ આપવા વિનંતી એ સાધનાની શરૂઆત છે.
આ એક એવી પ્રસ્તુતિ છે જે મને વાંચી ઘણી સારી લાગી તો આપ સમક્ષ રજૂ કરું છું.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો